પ્રસ્તાવના

September 6th, 2008 by zarnu

ઝરણું (પ્રસ્તાવના)

કહેવાય છે કે દરેક વ્યક્તિએ જો પોતાનો ખાલિપો દુર કરવો હોય તો લખવુ. લખવાથી વ્યક્તિ પોતાની ઓળખ પ્રાપ્ત કરી શકે છે. પોતે ખરેખર કોણ છે - શાના માટે છે – એ પોતે કેટલો ઉચ્ચકોટી નો છે –પ્રક્રુતિની કેટ્લો સમીપ છે – અત્યાર સુધી એ પોતાના જીવન ને કેટ્લુ સમજી શક્યો છે – વગેરે દરેક પ્રશ્નો ના જવાબો એને સ્વ-પ્રયત્ને મળી જાય. આનાથી એને પોતાના દરેક હકરાત્મક અને નકારાત્મક પાસા ની જાણ થાય. આપણુ પોતાનુ લખાણ એ આપણી પોતાની સકારાત્મક અભિવ્યક્તિ છે. એનાથી હ્રદય હળવું રહે. મન સાફ રહે. વ્યક્તિ પોતે હમેશાં સત્ય ને વરેલો રહી શકે. એક વાર લખવાનું શરુ થાય તો સ્વ ને ઓળખવાની શરુઆત થાય – વાચક્ગણ તો પછી થી ઓળખશે!

મને મરા મિત્રો-વડિલો તરફ્થી છેલ્લા ઘણા સમયથી આ બાબતે ટકોર થતી રહેતી. મારો મિત્ર ચિરાગ આ માટે મને કહી ને થાકેલો અને એણે જાત્-ભાત ના ચતુરાઈ ભર્યાં રાજકીય અને સામાજીક દબાણો લાદ્યા- અલબત્ત મારા પોતાના ઉત્કર્ષ માટે. અને હવે એ સફળ થયો. એનો મારી ઉપર ફરી એક વાર વિજય થયો. મને ફરી એક વાર મારા જીવન એ તક આપી – મારી જાતને જાતે ટટોળવાની!

કઈ પણ લખવાનું શરું કરતાં પહેલા આપ સહુ ને જણાવું કે હુ સ્વાર્થી છું. હુ જે કઈ પણ લખીશ – એ મારા પોતાના ઉત્કર્ષ માટે – મારી પોતાની ઓળખ પામવાં માટે. હુ કોણ છુ અને અંતરથી કેવો છુ – એ જાણવા માટે. આપ સહુ મને વાંચો – પરખો એ મારા માટે હમેશા ગૌણ બાબત રહેશે. તેમ છ્તાં આપના મંતવ્યો – સુધારાઓ – સલાહ્-સુચનો આવકાર્ય છે. આ થકી મને મારો હેતુ સિદ્ધ કરવામાં મદદ મળશે. જે માટે આ મહત્વનું કાર્ય્ શરુ કરતા પહેલા હુ પર્માત્માના આશિર્વાદ માગીશ.

ઝરણું – આ મારુ જીવન છે. જેમ ઝરણાની પ્રક્રુતિ ખળખળ આગળ ધપવાની છે એમ આપણા જીવનનું પણ કંઈક અવું જ. એ પણ નિરંતર આગળ ધપ્યા કરે. ઝરણાનું પાણી આગળ વધવાની સાથે પથરીલા ખડકો સાથે અથડાતુ જાય એમ આપણા જીવનમાં આપણે ઘણા નાના-મોટા ખડકો સાથે અથડાતા-કુટાતાં આગળ ધપીએ છીએ. કેટ્લું સામ્ય! એટ્લે જ મે નક્કી કર્યું કે મારા જીવનનું મથાળું પણ ઝરણું જ.

મારા અંત-કરણમાંથી જે પણ વિચારો પ્રગટ થશે એ ઝરણું બની આપ સહુના હ્રદય સુધી પહોચશે. જેથી આપ સહુ માં મને મારી છબીના દર્શન થશે. જેના થકી મારા માં વસેલા ઈશ્વર્ ના દર્શન થવાની તક સાંપડી જાય તો નવાઈ નહી!

ઝરણું માં પ્રકાશીત થનારા મારા વિચારો અને મંતવ્યોથી જો કોઈ સંવેદનશીલ વ્યક્તિનું મન દુભાય તો એ બદલ અત્યારથી દીલગીર છું. અને ઝરણું નો વાચક્વર્ગ એના માટે સદા પથ્-ચિંધક બની રહે એવી અભ્યર્થના.
મારા લખાણમાં શબ્દો અને જોડ્ણીઓ માં ક્યાંક આપ સહુને મારા અનુભવની ખોટ વર્તાય – તો પણ આપના વિશાળ હ્રદયમાં મને ક્યાંક નાનકડું સ્થાન મળી જાય – એવી કોઈ પણ તક હુ જતી નહી કરું – આ મારુ આપ સહુને વચન છે.

મારા ભારતીયોને જય ભારત!

દિગંત જાની

રવિવાર - તા. 1-3-2009