કાલાંવાલાં - બંસીધર પટેલ

કાલાંવાલાં - બંસીધર પટેલ
(રાગ: મેરી પ્યારી બહનીયા … સચ્ચાઝૂઠા)

આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના દિલની વાત ન અજાણી.
તમે થાઓને ઝટ તૈયાર,
મૈયા આપોને દર્શન આજ.
મૈયા આપોને દર્શન આજ.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

નવરાત્રી ચાલુ થઈ છે એટ્લે આ આરાધના સારી લાગે છે.

Leave a comment

(required)

(required)