Author Archive
નવું સરનામુ
આ બ્લૉગની બધી પૉસ્ટ હવે નવે ઠેકાણે: http://rutmandal.info/guj/
રાજયોગ અંગ ૧ - યમ
રાજયોગ અંગ ૧ - ચિરાગ પટેલ જુન ૧૨, ૨૦૧૦
પતંજલિ ઋષિનાં અષ્ટાંગ યોગથી કોણ પરિચિત નહિ હોય? પતંજલિ યોગસૂત્રમાં અલગ - અલગ પદોમાં સમાયેલા આ નિર્દેશોનું દુનિયાભરમાં આજે તો અનુકરણ કરનારા બહુ લોકો છે. ઘણા વિદ્વાનોએ એના પર સરસ વિવેચન પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદનું “સરળ રાજયોગ” પુસ્તક અષ્ટાંગ યોગ પર આધારિત છે. આપણા મુખ્ય દરેક [...]
સર્જકો સાથે સાંજ 2010
સર્જકો સાથે સાંજ 2010 - ચિરાગ પટેલ જુન 09, 2010
ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક સર્જક કૃતિ રજુ કરે પછી શ્રીચિનુ મોદીએ એ કૃતિનું વિવેચન કર્યું હતું. [...]
ઑટોબાન
ઑટોબાન - ચિરાગ પટેલ મે ૩૧, ૨૦૧૦
દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે પણ આ હાઈવે સીસ્ટમનો ઉપયોગ બખૂબી કર્યો હતો. શરૂઆતમાં આ માર્ગ વ્યવસ્થા [...]
વ્હૉટ્સ યોર રાશિ?
વ્હૉટ્સ યોર રાશિ? - ચિરાગ પટેલ મે ૨૯, ૨૦૧૦
આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ રહ્યો છું એ વાચી ત્યારે પહેલવહેલો આ પ્રશ્ન જ મારા મનમાં ઉઠ્યો હતો.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃથ્વીના સંદર્ભે [...]
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત - ચિરાગ પટેલ મે ૨૫, ૨૦૧૦
માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ પ્રમાણે છે: રાજા બલિ, પરશુરામ, વિભીષણ, વ્યાસ, હનુમાન, અશ્વત્થામા, કૃપાચાર્ય. મહાભારત અને રામાયણ મુજબ વ્યાસ, કૃપાચાર્ય, [...]
યોગ અને આધુનિક સમાજ
યોગ અને આધુનિક સમાજ - ચિરાગ પટેલ મે ૧૫, ૨૦૧૦ શનિવાર
હમણા થોડા દિવસોથી ૮૩ વર્ષના પ્રહલાદ જાની વિષે ઘણી ચર્ચા સમાચાર પત્રોમાં ચાલી રહી છે. આ ચર્ચામાં msnbc કે યાહૂ પણ બાકાત નથી.ડોકટરો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસનું શરીર ૬ દિવસ ખોરાક-પાણી વગર ટકી ના શકે, વધુ ૧ કે ૨ દિવસ ખેંચી શકે. જ્યારે [...]
ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ
ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ - ચીરાગ પટેલ માર્ચ 16, 2010
આ વર્ષે 14મી માર્ચને રવીવારે અમેરીકામાં “ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ”(Day Light Saving Time - DST) શરુ થયો. અને એ સાથે જ મારી રોજીન્દી દેહધાર્મીક ક્રીયાઓએ એકસાથે બળવો પોકારીને મને અધમુવો કરી દીધો. ઉન્ઘના કલાકો ઘટી ગયા. ભુખ લાગવામાં ફેરફાર થઈ ગયો. શરીરને સ્લોથ પ્રાણી સાથે મીત્રતા બન્ધાઈ [...]
પ્રાણાગ્નિહોત્ર વિધિ
પ્રાણાગ્નિહોત્ર વિધિ - સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010
ધારણા:
હ્રદયકમળ - અરણીકાષ્ઠ
મન - અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ - આહવનીય અગ્નિ
હૃદય - ગાર્હપત્ય અગ્નિ
નાભિ - દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન - સભ્યાગ્નિ
મૂલાધાર - આવસથ્યાગ્નિ
વાણી - હોતા
પ્રાણ - ઉદગાતા
ચક્ષુ - અધ્વર્યુ
મન - બ્રહ્મા
શ્રોત્ર - આગ્નીધ્ર
અહંકાર - પશુ
પ્રણવ - દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ - પત્ની
વક્ષ:સ્થળ - વેદી
રુંવાટા - દર્ભ
બંને [...]
નાતાલનો તારો
નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ [...]

