એક રસપ્રદ યજ્ઞ

એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009

સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.

ૐ

આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને ધોવડાવવામાં આવ્યો હતો) હજુ આજે પણ બન્કીમકાકા પાસે છે.

હવે, ફરીથી એ જ ફોટો નવી રીતે જુઓ.

ૐ

એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓની ઉપર છે અને બીજો નાનો ૐ કુન્ડના નીચેના ભાગે તૈયાર થઈ રહ્યો છે.

આપના પ્રતીભાવ આવકાર્ય છે.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

It is truly amazing phenomenon. When you mentioned ‘Digantkaka’, are you referring to Mr. Digant Oza? I have met Digantbhai in Bhuj in 1970s and have known him as a man of integrity. I have every reason to believe the genuineness of the photo. Thanks for sharing. I take it that I can share it with my friends?

ચોક્કસ શૅર કરી શકો છો. અહીં દીગન્ત એ મારો મીત્ર અને બન્કીમકાકા તેના પપ્પા એવો ઉલ્લેખ છે.

Preety impressive-Good luck and blessings to Bakimkaka.

ઓમકાર સૌનો પ્રાણ છે.

હરિઓમ તત્સત જપાકર જપાકર.

મહામઁત્ર હય વો રટાકર રટા કર.

“ધવલરાજગિરા”

બહુ જ મજાનું !!

આસ્તીકો માટે અદ્ભુત અને નાસ્તીકો માટે ફક્ત ભુત !

એકદમ ચિત્તાકર્ષક ૐ ઉદભવ્યો છે.

ખરેખર એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓ જોઈને આપણી શ્રદ્ધા અને વિશ્વાસમાં દ્રઢ બનશે, આ કોઈ ચમત્કાર નથી, એ તો તેમની પ્રખર શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિતીનો એક નમૂનો છે.

કાઁતિભાઈ કરસાળા,
http://gaytrignanmandir.wordpress.com/

જોગાનુજોગ પણ હોઈ શકે !

સુ.દાદા, આટલો સચોટ જોગાનુજોગ (અક્ષરના વળાંક, અક્ષરની ઘટ્ટતા, અવીરત અક્ષર નીકળવા વગેરે) હોવો શક્ય નથી લાગતો.

તમને કદાચ સાયમેટિક્સ કે ટોનોસ્કોપનો ખ્યાલ હોય તો એ આ ઘટનાને ચોક્કસ વૈજ્ઞાનીક આધારે સમજાવી શકે છે.

આ વાત માં આર્દ્યુમેન્ટસ નો સવાલ જ નથી આવતો.. જુનો અને જાણીતો શેર.. ” હોય જો વિષય શ્રધ્ધાનો, તો પુરાવાની શી જરુર.!!!” આ વાત પાકા આધાર સાથે પ્રુવ થયેલી છે.. અને આપણી સાથે પશ્ચિમી દેશો પણ માનતા થયા છે. કે ‘ઓમ્ ‘ ઉચ્ચારણ ની સાથે જ વાતાવરણ માં એક આકાર રચાય છે જ. એક શક્તિ પેદા થાય છે.. અને સામુહિક ઉચ્ચારણ થી કે યગ્ન જેવા માહોલ માં એ ક્યાંક દ્રશ્યમાન બને તો નવાઈ નહી. એ વાત વેદો માં પણ લખેલી છે..

very nice !
I saw a photo on web, but didn’t know it’s by u !

agree wid dhwani.

gayatri mantra works !!

Leave a comment

(required)

(required)